Friday, March 6, 2020

હોળી પુનમ / કોરોના વાઈરસની દહેશત વચ્ચે ડાકોરમાં ફાગણોત્સવ કાર્યક્રમ રદ, પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઈ શકશે

હોળી પુનમ / કોરોના વાઈરસની દહેશત વચ્ચે ડાકોરમાં ફાગણોત્સવ કાર્યક્રમ રદ, પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઈ શકશે
યાત્રાધામ / ડાકોર: રાજ્યમાં કોરોના વાયરસના(corona virus) કારણે અનેક જાહેર કાર્યક્રમો રદ થઈ રહ્યા છે. તો હોળી નિમિત્તે ડાકોરમાં ફાગણોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તે પણ રદ કરવામાં આવ્યું છે. ખેડા જિલ્લા કલેક્ટરે ડાકોરમાં ફાગણોત્સવ રદ કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારના સંગીત નાટક અકાદમી દ્વારા હોળી નિમિત્તે ડાકોરમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.. પરંતુ કોરોના વાયરસના (corona virus) શંકાસ્પદ કેસો વધવાને કારણે આ જાહેર કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.
યાત્રીકોએ ગભરાવાની જરૂર નથી
આ પણ વાંચો:-
https://wwwkansaramanish4bknews.blogspot.com/2020/03/blog-post_42.html
આ અંગે ડાકોર મંદિર કમિટીના મેનેજરે કહ્યું કે, ડાકોર મંદિરના તમામ માણસોને ગ્લોઝ અને માસ્ક આપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, યાત્રીકોએ ગભરાવાની જરૂર નથી. સૂર્ય પ્રકાશમાં વાયરસના કણો નાશ પામે છે હાલમાં ઉનાળો ચાલી રહ્યો હોવાથી વાયરસના કણો વધારે ફેલાશે નહીં. જિલ્લા વહીવટી તંત્ર સાથે આયોજન કરીને આગળની કામગીરી હાથ ધરવામાં આવશે.
અહીં વધુ વાંચો:-
https://wwwkansaramanish4bknews.blogspot.com

NEWS KM 
#manishkansara 
OWNER 
Manish Kansara 
6352918965

No comments:

Post a Comment